Wednesday, December 21, 2011

Rheumatoid Arthritis

ડૉ.અંબર તરલ                                                                    ૨૨/૧૨/૧૧ 

              આર્થરાઈટીસનો અર્થ થાય છે,સાંધાઓમાં દુખાવો.આ એક ક્રોનિક,અને વધુ પ્રમાણમાં જોવા મળતો રોગ છે.દુનિયામાં લગભગ ૧૦૦ જેટલા પ્રકારના આર્થરાઈટીસ હોય છે,જેમ કે:ઓસ્ટીઓ આર્થરાઈટીસ,રૂમેટોઇડ આર્થરાઈટીસ,ગાઉટઅને સોરિયાટીક આર્થરાઈટીસ.
             રૂમેટોઇડ આર્થરાઈટીસ એ કોમન ગણાતો પ્રકાર છે.પ્રત્યેક આર્થરાટીસઈમા દર્દીને જુદા-જુદા લક્ષણો જોવા મળે છે.તેથી ચોક્કસ કયા પ્રકારનોઆર્થરાટીસઈ છે,તે  નક્કી થયા પછી જ ટ્રીટમેન્ટ શરુ થાય છે.આ એક ક્રોનિક,અને સિસ્ટેમેટીક રોગ છે જે સંધાઓના જોડાણમાં બળતરા થી શરુ થાય છે,જેને કારણે દુખાવો,સોજો,સ્ટીફનેસ,તથા મોબિલીટી ઓછી થવી જેવી તકલીફો જણાય છે.આ એક હઠીલો રોગ છે,જે થયા પછી વર્ષો સુધી ખસતો નથી.અને હાડકા,લીગામેન્ટ,કાર્ટીલેજ અને સાંધાઓને નુકશાન પહોંચાડે છે.આ પ્રકારના આર્થરાઈટીસમા આંખ,ફેફસાં,અને શરીરના અન્ય અવયવોને પણ નુકશાન થાય છે.
સમગ્ર વિશ્વમાં આ રોગ જોવા મળે છે,દુનિયાની લગભગ ૧.૫%વસ્તી આનો ભોગ બંને છે.સ્ત્રીઓમાં પુરુષોની સરખામણીએ ૩ ગણો વધારે જોવા મળે છે.
લક્ષણો:
              વ્યક્તિગત રીતે આના ચિહ્નો અલગ અલગ જણાય છે.ઘણાને સતત દુખાવો રહે છે તો ઘણાને ક્યારેક જ થાય છે.રોગની શરૂઆતમાં થાક,સાંધામાં સોજો,બળતરા,સાંધા કડક થઇ જવા જેવા ચિહ્નો દેખાય છે.આ ઉપરાંત ક્યારેક તાવ,ભુખ ણ લાગવી,એનીમિયા,અશક્તિ પણ જોવા મળે છે.
RA એક ઓટો ઈમ્યુન ડીસીઝ છે,જે શરીરના તંદુરસ્ત સાંધાઓ અને તેના કોષો પર અસર કરવાનું શરુ કરે છે.આ ચેપી રોગ નથી.
સારવાર:
            દવા,આરામ,કસરત,અને આહાર આના ઉપાય છે.જ્યારે રોગની તીવ્રતા હોય ત્યારે આરામ અને જ્યારે સારું હોય ત્યારે કસરત એ આની રાહત માટેના ઉપાય છે
આહારીય સારવાર:
વિટામીન-C અને E -રૂમેટોઇડ આર્થરાઈટીસ થતો રોકવા અને થયો હોય ત્યારે મદદરૂપ બનવા જરૂરી છે.
સેલેનીયમ-એન્ટીઓકસીડેન્ટ નાં કાર્યને ઉત્તેજન આપે છે.
ઝીંક-દુખાવો હળવો કરવામાં મદદ કરે છે.
વિટામીન B -અને તેમાંય ફોલેટ ખુબ જરૂરી છે.

કેટલાંક ખાદ્ધ્ય પદાર્થો આ રોગ મા અકસીર સાબિત થાય છે તેવું સંશોધન થયેલ છે.
  1. પાઈનેપલ-આમાં બ્રોમેલીન હોય છે.જે બળતરા રોકવા માટે અને દુખાવો કરનાર કમ્પાઊંડને બનતા રોકવા મા મદદ કરે છે.
  2. સફરજન,બેરીઝ,ખાટા ફળ,ડુંગળી,લીલી ચા-આ સંધાને જોડતા ટીશ્યુ ને સપોર્ટ કરે છે,અને દુખાવો અટકાવે છે.
  3. સેલ્મોન,મેકેરેલ,ટુના,ફ્લેક્સ સીડ-ઓમેગા-૩ ફેટી એસીડ યુક્ત આ ખાદ્યો સાંધામાં  સ્ટીફનેસ,થાક,વગેરેને અટકાવવામાં ફાયદા કારક છે. 
  4. આદુ-આમાં શોલોગ્સ અને જીન્જેરોલ્સ હોય છે જે બળતરા કરતા તત્વોને રોકે છે.
  5. મરચા,સ્ટ્રોબેરી-વિટામીન સી યુક્ત આ ખાદ્યો હિલિંગ માટે જરૂરી છે.વાળી સાંધા નાં  દુખાવામાં રાહત પણ આપે છે.
  6. આવોકાડો,નટ્સ,સીડ્સ,આખા અનાજ-જેમાં વિટામીન-ઈ હોય છે,જે સ્ટીફનેસ અને દુખાવા મા રાહત આપે છે.
  7. હળદર-ખુબ શક્તિશાળી એન્ટીઓકસીડન્ટ છે.શરીરની પોતાની દુખાવો દુર કરવાની શક્તિને એક્ટીવેટ કરે છે.
રૂમેટોઇડ આર્થરાઈટીસ થયા પછી જલ્દી મટતો નથી તેથી તે નથાય માટે પુરતી કાળજી જરૂરી છે.





Monday, December 5, 2011

કમળો -JAUNDICE.

ડૉ.અંબર તરલ   ૦૬/૧૨/૧૧.                                                                                         


             કમળા ને સાદી ભાષામાં પીળીયો તરીકે ઓળખવામાં આવે છે.કારણકે લોહીમાં બાઈલ પીગ્મેન્ટ વધી જવાને કારણે ત્વચા અને મ્યુક્સ મેમ્બ્રેન નો રંગ પીળો પડી જાય છે.સામાન્ય રીતે લીવર ને આપના શરીરની રસાયણ શાળા કહેવામાં આવે છે.કારણકે,લીવર તે બાઈલ રસનો સ્ત્રાવ કરે છે,અગત્યના શક્તિદાયક પોષકતત્વો -કાર્બોદિત,પ્રોટીન અને ચરબી નાં  મેટાબોલીઝમ મા ભાગ લે છે.
             આપણા શરીરમા ગોલબ્લેડરમા આ બાઈલ નો સંગ્રહ થાય છે અને જ્યારે આંતરડામાં ખોરાકનું પાચન થાય ત્યારે તેને આ બાઈલ પુરો પાડે છે.બાઈલ રસ ચરબીના પાચન અને શોષણ તથા ચરબી દ્રાવ્ય  વિટામીનોના શોષણ માટે અત્યંત જરૂરી છે.પેન્ક્રીયાઝ્માથી પેન્ક્રીયાતિક રસ ઝરે છે ,જેમા proteases,amylase ,lipase રહેલા હોય છે,જે આંતરડામાં ખોરાકના પાચન ને મદદ કરે છે.વાળી પેન્કીયાઝ્ના આઈલેટસ્ ઓફ લેન્ગરહેંસ ણા બીટા કોષોદ્વારા ઇન્સ્યુલીન નો સ્ત્રાવ થાય છે ,જે કાર્બોદિત નામેટાબોલીઝમ માટે જરૂરી છે.
લીવર જો આટલા બધા અગત્યના કાર્ય કરતું હોય તો સ્વાભાવિક છે કે,એમાં કોઇપણ તકલીફ થવાથી અનેક રોગ થઇ શકે.અને એમાનો એક છે કમળો JAUNDICE.


કમળો નીચેના મુખ્ય ત્રણ કારણોસર થાય છે,
  1. હિમોલીટીક -લાલ રક્ત કણોના વધુ પડતા તૂટવાથી .
  2. ઓબ્સ્ત્રક્વટીવ -બાઈલ ના માર્ગમાં કોઈ અવરોધ આવવાથી .
  3. હિપેટોસેલ્યુલર -વાઈરલ ઇન્ફેક્શન અથવા ટોક્સિક દવાઓને કારણે લીવરને નુકશાન પહોંચવાથી
આહારીય ચિકિત્સા -
આ રોગ મા ખોરાક અગત્યનો ભાગ ભજવે છે.
કેલરી-૧૫૦૦ થી ૨૦૦૦ 
પ્રોટીન-રોગની તીવ્રતા પર આધારિત છે.જો હિપેટીક કોમા કે પ્રીકોમાં હોય તો પ્રોટીન બિલકુલ બંધ કરી ,નાક      દ્વારા(ટ્યુબ)કાર્બોહાઈડ્રેટઅપાય છે.જો સીરમ બીલીરુબીન ૧૫મીલીગ્રામ પ્રતિ ૧૦૦ ગ્રામે હોયતો તો ૪૦ ગ્રામ જેટલું પ્રોટીન આપી શકાય.જો કમળો ઓછો હોય તો ૬૦ થી ૮૦ ગ્રામ પ્રોટીન આપી શકાય.
ચરબી- લીવર ચરબી નું મેટાબોલીઝમ કરી શકતું નથી ,તેથી ચર્ઓછી આપવી જોઈએ
કાર્બોહાઈડ્રેટ-આ કેલરીનું મુખ્ય સ્ત્રોત છે.ગ્લુકોઝ આનો મુખ્ય સોર્સ છે.ફ્રુટ જ્યુસ,પોરીજ,ખાંડ યુક્ત પુડિંગ ,અનાજ આપી શકાય છે.
વિટામિન્સ-તમામ વિટામીન જરૂરી પ્રમાણ મા આપવા જોઈએ.
મીનરલ-ખોરાકમાં મીઠા દ્વારા સીરમ  સોડીયમ અને પોટાશિયમ નું પ્રમાણ જાળવવું જોઈએ.

ઝોન્ડીસ આજકાલ વ્યાપક પ્રમાણમાં  જોવા મળતો  રોગ છે.પ્રદુષિત પાણી આને માટે જવાબદાર ગણી શકાય,ઉપરાંત બજારમાં ખુલ્લા મળતા ખોરાક ,પણ કારણભૂત માની શકાય.આ રોગ માંથી વાઈરલ હિપેટાઇટીસ થતા વાર લાગતી નથી.

સંપૂર્ણ આરામ ,ખોરાકની કાળજી અને ગ્લુકોઝની વધુ માત્રા કમળામાંથી સાજા થવાની અકસીર ચાવી છે.