Monday, December 5, 2011

કમળો -JAUNDICE.

ડૉ.અંબર તરલ   ૦૬/૧૨/૧૧.                                                                                         


             કમળા ને સાદી ભાષામાં પીળીયો તરીકે ઓળખવામાં આવે છે.કારણકે લોહીમાં બાઈલ પીગ્મેન્ટ વધી જવાને કારણે ત્વચા અને મ્યુક્સ મેમ્બ્રેન નો રંગ પીળો પડી જાય છે.સામાન્ય રીતે લીવર ને આપના શરીરની રસાયણ શાળા કહેવામાં આવે છે.કારણકે,લીવર તે બાઈલ રસનો સ્ત્રાવ કરે છે,અગત્યના શક્તિદાયક પોષકતત્વો -કાર્બોદિત,પ્રોટીન અને ચરબી નાં  મેટાબોલીઝમ મા ભાગ લે છે.
             આપણા શરીરમા ગોલબ્લેડરમા આ બાઈલ નો સંગ્રહ થાય છે અને જ્યારે આંતરડામાં ખોરાકનું પાચન થાય ત્યારે તેને આ બાઈલ પુરો પાડે છે.બાઈલ રસ ચરબીના પાચન અને શોષણ તથા ચરબી દ્રાવ્ય  વિટામીનોના શોષણ માટે અત્યંત જરૂરી છે.પેન્ક્રીયાઝ્માથી પેન્ક્રીયાતિક રસ ઝરે છે ,જેમા proteases,amylase ,lipase રહેલા હોય છે,જે આંતરડામાં ખોરાકના પાચન ને મદદ કરે છે.વાળી પેન્કીયાઝ્ના આઈલેટસ્ ઓફ લેન્ગરહેંસ ણા બીટા કોષોદ્વારા ઇન્સ્યુલીન નો સ્ત્રાવ થાય છે ,જે કાર્બોદિત નામેટાબોલીઝમ માટે જરૂરી છે.
લીવર જો આટલા બધા અગત્યના કાર્ય કરતું હોય તો સ્વાભાવિક છે કે,એમાં કોઇપણ તકલીફ થવાથી અનેક રોગ થઇ શકે.અને એમાનો એક છે કમળો JAUNDICE.


કમળો નીચેના મુખ્ય ત્રણ કારણોસર થાય છે,
  1. હિમોલીટીક -લાલ રક્ત કણોના વધુ પડતા તૂટવાથી .
  2. ઓબ્સ્ત્રક્વટીવ -બાઈલ ના માર્ગમાં કોઈ અવરોધ આવવાથી .
  3. હિપેટોસેલ્યુલર -વાઈરલ ઇન્ફેક્શન અથવા ટોક્સિક દવાઓને કારણે લીવરને નુકશાન પહોંચવાથી
આહારીય ચિકિત્સા -
આ રોગ મા ખોરાક અગત્યનો ભાગ ભજવે છે.
કેલરી-૧૫૦૦ થી ૨૦૦૦ 
પ્રોટીન-રોગની તીવ્રતા પર આધારિત છે.જો હિપેટીક કોમા કે પ્રીકોમાં હોય તો પ્રોટીન બિલકુલ બંધ કરી ,નાક      દ્વારા(ટ્યુબ)કાર્બોહાઈડ્રેટઅપાય છે.જો સીરમ બીલીરુબીન ૧૫મીલીગ્રામ પ્રતિ ૧૦૦ ગ્રામે હોયતો તો ૪૦ ગ્રામ જેટલું પ્રોટીન આપી શકાય.જો કમળો ઓછો હોય તો ૬૦ થી ૮૦ ગ્રામ પ્રોટીન આપી શકાય.
ચરબી- લીવર ચરબી નું મેટાબોલીઝમ કરી શકતું નથી ,તેથી ચર્ઓછી આપવી જોઈએ
કાર્બોહાઈડ્રેટ-આ કેલરીનું મુખ્ય સ્ત્રોત છે.ગ્લુકોઝ આનો મુખ્ય સોર્સ છે.ફ્રુટ જ્યુસ,પોરીજ,ખાંડ યુક્ત પુડિંગ ,અનાજ આપી શકાય છે.
વિટામિન્સ-તમામ વિટામીન જરૂરી પ્રમાણ મા આપવા જોઈએ.
મીનરલ-ખોરાકમાં મીઠા દ્વારા સીરમ  સોડીયમ અને પોટાશિયમ નું પ્રમાણ જાળવવું જોઈએ.

ઝોન્ડીસ આજકાલ વ્યાપક પ્રમાણમાં  જોવા મળતો  રોગ છે.પ્રદુષિત પાણી આને માટે જવાબદાર ગણી શકાય,ઉપરાંત બજારમાં ખુલ્લા મળતા ખોરાક ,પણ કારણભૂત માની શકાય.આ રોગ માંથી વાઈરલ હિપેટાઇટીસ થતા વાર લાગતી નથી.

સંપૂર્ણ આરામ ,ખોરાકની કાળજી અને ગ્લુકોઝની વધુ માત્રા કમળામાંથી સાજા થવાની અકસીર ચાવી છે.


No comments:

Post a Comment