Wednesday, December 21, 2011

Rheumatoid Arthritis

ડૉ.અંબર તરલ                                                                    ૨૨/૧૨/૧૧ 

              આર્થરાઈટીસનો અર્થ થાય છે,સાંધાઓમાં દુખાવો.આ એક ક્રોનિક,અને વધુ પ્રમાણમાં જોવા મળતો રોગ છે.દુનિયામાં લગભગ ૧૦૦ જેટલા પ્રકારના આર્થરાઈટીસ હોય છે,જેમ કે:ઓસ્ટીઓ આર્થરાઈટીસ,રૂમેટોઇડ આર્થરાઈટીસ,ગાઉટઅને સોરિયાટીક આર્થરાઈટીસ.
             રૂમેટોઇડ આર્થરાઈટીસ એ કોમન ગણાતો પ્રકાર છે.પ્રત્યેક આર્થરાટીસઈમા દર્દીને જુદા-જુદા લક્ષણો જોવા મળે છે.તેથી ચોક્કસ કયા પ્રકારનોઆર્થરાટીસઈ છે,તે  નક્કી થયા પછી જ ટ્રીટમેન્ટ શરુ થાય છે.આ એક ક્રોનિક,અને સિસ્ટેમેટીક રોગ છે જે સંધાઓના જોડાણમાં બળતરા થી શરુ થાય છે,જેને કારણે દુખાવો,સોજો,સ્ટીફનેસ,તથા મોબિલીટી ઓછી થવી જેવી તકલીફો જણાય છે.આ એક હઠીલો રોગ છે,જે થયા પછી વર્ષો સુધી ખસતો નથી.અને હાડકા,લીગામેન્ટ,કાર્ટીલેજ અને સાંધાઓને નુકશાન પહોંચાડે છે.આ પ્રકારના આર્થરાઈટીસમા આંખ,ફેફસાં,અને શરીરના અન્ય અવયવોને પણ નુકશાન થાય છે.
સમગ્ર વિશ્વમાં આ રોગ જોવા મળે છે,દુનિયાની લગભગ ૧.૫%વસ્તી આનો ભોગ બંને છે.સ્ત્રીઓમાં પુરુષોની સરખામણીએ ૩ ગણો વધારે જોવા મળે છે.
લક્ષણો:
              વ્યક્તિગત રીતે આના ચિહ્નો અલગ અલગ જણાય છે.ઘણાને સતત દુખાવો રહે છે તો ઘણાને ક્યારેક જ થાય છે.રોગની શરૂઆતમાં થાક,સાંધામાં સોજો,બળતરા,સાંધા કડક થઇ જવા જેવા ચિહ્નો દેખાય છે.આ ઉપરાંત ક્યારેક તાવ,ભુખ ણ લાગવી,એનીમિયા,અશક્તિ પણ જોવા મળે છે.
RA એક ઓટો ઈમ્યુન ડીસીઝ છે,જે શરીરના તંદુરસ્ત સાંધાઓ અને તેના કોષો પર અસર કરવાનું શરુ કરે છે.આ ચેપી રોગ નથી.
સારવાર:
            દવા,આરામ,કસરત,અને આહાર આના ઉપાય છે.જ્યારે રોગની તીવ્રતા હોય ત્યારે આરામ અને જ્યારે સારું હોય ત્યારે કસરત એ આની રાહત માટેના ઉપાય છે
આહારીય સારવાર:
વિટામીન-C અને E -રૂમેટોઇડ આર્થરાઈટીસ થતો રોકવા અને થયો હોય ત્યારે મદદરૂપ બનવા જરૂરી છે.
સેલેનીયમ-એન્ટીઓકસીડેન્ટ નાં કાર્યને ઉત્તેજન આપે છે.
ઝીંક-દુખાવો હળવો કરવામાં મદદ કરે છે.
વિટામીન B -અને તેમાંય ફોલેટ ખુબ જરૂરી છે.

કેટલાંક ખાદ્ધ્ય પદાર્થો આ રોગ મા અકસીર સાબિત થાય છે તેવું સંશોધન થયેલ છે.
  1. પાઈનેપલ-આમાં બ્રોમેલીન હોય છે.જે બળતરા રોકવા માટે અને દુખાવો કરનાર કમ્પાઊંડને બનતા રોકવા મા મદદ કરે છે.
  2. સફરજન,બેરીઝ,ખાટા ફળ,ડુંગળી,લીલી ચા-આ સંધાને જોડતા ટીશ્યુ ને સપોર્ટ કરે છે,અને દુખાવો અટકાવે છે.
  3. સેલ્મોન,મેકેરેલ,ટુના,ફ્લેક્સ સીડ-ઓમેગા-૩ ફેટી એસીડ યુક્ત આ ખાદ્યો સાંધામાં  સ્ટીફનેસ,થાક,વગેરેને અટકાવવામાં ફાયદા કારક છે. 
  4. આદુ-આમાં શોલોગ્સ અને જીન્જેરોલ્સ હોય છે જે બળતરા કરતા તત્વોને રોકે છે.
  5. મરચા,સ્ટ્રોબેરી-વિટામીન સી યુક્ત આ ખાદ્યો હિલિંગ માટે જરૂરી છે.વાળી સાંધા નાં  દુખાવામાં રાહત પણ આપે છે.
  6. આવોકાડો,નટ્સ,સીડ્સ,આખા અનાજ-જેમાં વિટામીન-ઈ હોય છે,જે સ્ટીફનેસ અને દુખાવા મા રાહત આપે છે.
  7. હળદર-ખુબ શક્તિશાળી એન્ટીઓકસીડન્ટ છે.શરીરની પોતાની દુખાવો દુર કરવાની શક્તિને એક્ટીવેટ કરે છે.
રૂમેટોઇડ આર્થરાઈટીસ થયા પછી જલ્દી મટતો નથી તેથી તે નથાય માટે પુરતી કાળજી જરૂરી છે.





2 comments:

  1. this is really good, can you post something in English, i wanted to suggest this as he is suffering from Rheumatoid Arthritis

    ReplyDelete